લતા મંગેશ્કરે આયુષમાનની અંધાધુંધના કર્યા વખાણ, આયુષ્માને આપી દીધો આ પ્રત્યુતર

Sharmishtha Kansagra

લતા મંગેશકર હવે ફિલ્મો જોવા માટે પણ સમય કાઢી રહ્યાં છે. હાલમાં તેમણે આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘અંધાધુન’ જોઈ. આ ફિલ્મમાં એમને એટલી બધી મજા પડી કે એમણે ટ્વિટર પર પોતાનો આનંદ શૅર કર્યો અને તેમાં આયુષ્માન ખુરાનાની એક્ટિંગ અને સિંગિંગ બંનેનાં પેટ ભરીને પણ વખાણ કર્યાં. શુક્રવારે કરેલા ટ્વીટમાં લતાદીદીએ લખ્યું કે, ‘આયુષ્માનજી નમસ્કાર. મેં તમારી ફિલ્મ અંધાધુન આજે જોઈ. તમે બહુ સરસ કામ કર્યું છે અને જે ગીતો તમે ગાયાં છે તે પણ મને બહુ ગમ્યાં. હું તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તમને ભવિષ્યમાં વધુ ને વધુ યશ મળે તેવી મંગળ કામના કરું છું.’

 


લતા મંગેશકરની આ ટ્વીટ જોઈને અન્ય ટ્વિટર યુઝર્સ પણ કહેવા લાગ્યા હતા કે લતાજીના આ શબ્દો કોઈ પુરસ્કારથી કમ નથી. આ ટ્વીટ પછી આયુષ્માન ખુરાનાએ પણ તરત જ પ્રત્યુત્તર પાઠવ્યો હતો. આયુષ્માને લખ્યું કે, ‘લતા દી, તમારું આ કહેવું મારે મન બહુ મોટી વાત છે. તમારા આ પ્રોત્સાહન માટે જ કદાચ મેં મહેનત કરેલી. આશીર્વાદ માટે શુક્રિયા.’

 

વર્ષ 2018માં રિલીઝ થયેલી સસ્પેન્સ-થ્રિલર કમ બ્લેક કોમેડી ફિલ્મ ‘અંધાધુન’ શ્રીરામ રાઘવને ડિરેક્ટ કરી હતી અને તેમાં આયુષ્માન ઉપરાંત તબુ, રાધિકા આપ્ટે, અનિલ ધવન જેવા કલાકારો હતા. બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મ ખાસ્સી સફળ રહી હતી.

Find Out More:

Related Articles: