પતિને પત્ની કરતા 'વો' માં વધુ હતો રસ, પત્ની વીફરીને આવ્યો આ અંજામ

લગ્નજીવનનું બંધંન બહુ નાજુક છે સતત તેમાં વિશ્વાસ અને વફાદારીની મહેક આવતી રહેવી જોઇએ નહી તો આ બંધંન સજા બની જાય છે, આવો જ એક કિસ્સો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જોવા મળ્યો છે.  જ્યાં ગત મોડી રાત્રે સેક્ટર 26માં થોડા જ દિવસ પહેલા ભાડાના મકાનમાં રહેવા આવેલ પત્નીએ પતિને જ છરાના ઘા મારીને કરપીણ હત્યા કરી છે જેમાં પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, પતિ પત્નીને એકબીજાથી પસંદગી બાબતે અણગમો હતો અને પોતાના વતન પિયરમાં રહેવાની જીદના કારણે પત્ની અને પતિ વચ્ચે ઝગડો થયા હોવાનું કારણ સામે આવ્યું છે. અઢી વર્ષનું લગ્ન જીવનમાં વારંવાર નાની નાની બાબતે ઝઘડા થતા હોઇ આખરે કંટાળી અસહ્ય ઝઘડાએ વિકરાળરૂપ ધારણ કર્યું હતું અને છરીના ઘા મારીને પત્નીએ પતિનું રાત્રીના 1 વાગે ઢીમ ઢાળી દીધું હતું.

 

આ ઘટનામાં પત્નીના હાથે ભોગ બનનાર વાકજી ભાઈ નરબત ભાઈ ચોધરી ગાંધીનગરના સેક્ટર 17ના પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતા હતા. ધંધા રોજગાર અર્થે બનાસકાંઠાના વડગામ મૂળ વતનથી છેલ્લા 5 વર્ષથી ગાંધીનગરમાં મૃતક રહેતા હતા. લગ્ન જીવનને અઢી વર્ષ જેટલો સમય થયો હતો. પોતાના વતન પાછા રહેવા જવા બાબતે ઉગ્ર ઝગડો થતા પત્નીએ આ સમગ્ર ઘટનાને અંજામ આપીને ખળભળાટ મચી જવા પામ્યો હતો.

 

આ ઘટનામાં પત્ની ઉમિયાબેન વાકજી ભાઈ ચોધરીની પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે પતિ પત્નીના સંબંધમાં ત્રિકોણીય સંબંધને લઇને પણ શક્યતાઓ સેવાઇ રહ્યાનું બહાર આવ્યું હતું.

Find Out More:

Related Articles: