બ્રિટિશ નાગરિકોને લંડન પહોંચાડવા અમદાવાદથી થઇ ફ્લાઇટની વ્યવસ્થા

વાયરસના કારણે દુનિયાના મોટા ભાગના દેશોએ પોતાના દેશમાં લોકડાઉન જાહેર કરી દીધુ છે અને કેટલાક દેશોની સરકાર આજે પણ પોતાના નાગરીકોને પરત લાવવા માટે મંથામણ કરી રહી છે. આ દરમિયાન ભારત સરકાર પાસે બ્રિટનની સરકારે પોતાના 3 હજાર બ્રિટિશ નાગરિકોની વતન વાપસીની વ્યવસ્થા કરી છે. આ માટે બ્રિટિશ સરકારે 12 ફ્લાઇટની વ્યવસ્થા પણ કરી દીધી છે અને આ માટે ભારત સરકારે પરવાનગી પણ આપી દીધી છે.

 

લોકડાઇનને કારણે દેશમાં ઘણા વિદેશી નાગરીકો પણ ફસાઇ ગયા છે. દેશના અલગ અલગ શહેરોમાં 3 હજાર બ્રિટિશ નાગરિકો ફસાયેલા છે. જેમને પરત લાવવા માટે બ્રિટન સરકારે 12 ફ્લાઈટની વ્યવસ્થા કરી છે. આ માટે 13 એપ્રિલે અમદાવાદથી પ્રથમ ફ્લાઈટ ઉપડશે. બીજી ફ્લાઈટ 15 એપ્રિલે અમદાવાદથી ઉપડશે અને 17 એપ્રિલે હૈદરાબાદથી ત્રીજી ફ્લાઈટ ઉપડશે જે અમદાવાદથી થઇને જશે.

 

– ગુજરાત સહિત ભારતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે ખાસ વ્યવસ્થા,
– ભારતમાં ફસાયેલા 3000 બ્રિટિશ નાગરિકો માટે વ્યવસ્થા,
– ગુજરાતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે અમદાવાદ એરપોર્ટથી 3 ફ્લાઇટ બ્રિટિશ જશે,
– પ્રથમ ફ્લાઇટ 13 એપ્રિલે અમદાવાદથી ઉપડશે,
– બીજી ફ્લાઇટ 15 એપ્રિલે અમદાવાદથી લંડન જશે,
– ત્રીજી ફ્લાઇટ 17 એપ્રિલે હૈદરાબાદથી વાયા અમદાવાદ થઈ લંડન જશે,
– 12 ફ્લાઇટ દ્વારા ભારતમાં અલગ અલગ શહેરોમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને બ્રિટન લઇ જવાશે,
– ગોવા-લંડન, ગોવા-મુંબઈ-લંડન, કોલકત્તા-દિલ્હી-લંડન, અમૃતસર-લંડન, અમદાવાદ-લંડન, હૈદરાબાદ-અમદાવાદ-લંડન, ચેન્નાઇ-બેંગલુરુ-લંડન, ત્રિવેન્દ્રમ-કોચી-લંડન.

Find Out More:

Related Articles: