ટુંકા કપડા લઇને ટ્રોલ થઇ આ અભિનેત્રી, પ્રશંસકને કહી દીધી આ વાત

Sharmishtha Kansagra

એકટ્રેસ નુશરત ભરૂચા સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો શેર કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. ક્યારેક ઉલ્ટી બાજી પણ પડે છે સતત ચર્ચામાં છવાઈ જવાના મોહમાં અભિનેત્રી એવી તસવીરો શેર કરે છે જેનાથી દર્શકો નારાજ થઈ જાય છે અને ટ્રોલ કરી દે છે.

 

ફિલ્મફેર એવોર્ડ નાઈટમાં નુશરતે આવું જ કંઈક કર્યુ આ સમારોહમાં આ અભિનેત્રી એવા કપડા પહેરીને આવી જેને સોશિયલ મીડિયા પર ખુબજ ટ્રોલ કરવામાં આવી. એકટ્રેસ આ વાતને લઈને ઉકળી ઉઠી અને જે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે તેના પર ભડકી ઉઠી.

 

ભડકેલી અભિનેત્રીએ કહ્યુ કે આજના સમયમાં સોશિયલ મીડિયા હાલ એ જગ્યાએ છે કે તમે જે કરશો તેની ટીકા થશે અથવા ભરપેટ પ્રશંસા કરવામાં આવશે. આપણી પાસે કોઈ સ્ટ્રક્ચર નથી કે કઇ વાતથી દર્શકો પ્રશંસકો નારાજ થઈ જશે કઈ વાતથી ખુશ થઈ જશે. તમારી પ્રશંસા કરનારા લોકો જ તમારી એવી ઝાટકણી કાઢે કે તમને એવુ થાય જાણે કે તમે કોઈ મોટી ભૂલ કરી ચુક્યા છો.

 

દરેક પાસે પોતાના વિચારોનું એક માળખુ હોય છે. દરેક પાસે પોતાનો અભિપ્રાય હોય છે. કોને શું ગમશે તે નક્કી કરતા પહેલા હું હંમેશા મને શું ગમે છે તે જ કરૂ છુ. મને દરેકના અભિપ્રાયનું સન્માન કરવુ ગમે છે. મને જે ગમે તે હું પહેરૂ છું બીજાને તેમાં કોઈ દખલગીરી ન કરવી જોઈએ.

 

હું ઇમાનદારીથી કહુ તો મને મારા કપડા પર કોઈ ટિપ્પણી કરે તે સહેજ પણ પસંદ નથી મે કોઈને એ અધિકાર આપ્યો જ નથી કોઈ નક્કી કરે કે મારે શું પહેરવુ શું ન પહેરવુ. હું એવા નવરા લોકોની પરવાહ કરતી નથી જેમને કોઈ આ સિવાય કંઈ કામ જ નથી.

Find Out More:

Related Articles: